એક સવારે મે મારા પત્રકાર દોસ્ત ઇન્ડિયા ન્યૂઝના રિપોર્ટર અરવિંદ શર્માને
ફોન કર્યો. યાર , ક્યા કર રહે હો?..અરવિંદે કહ્યું, સર...મે એક ડોક્ટર કો ઢૂંઢ રહા
હું, વો ડોક્ટર હોને કે બાવજુદ જૂતા બેચ
રહા હૈ...ઔર મિલ નહીં રહા હૈ. મને એટલું યાદ હતું કે સરદારનગરમાં પાકિસ્તાનથી
આવીને વર્ષોથી લોકો રહે છે. અમે બંને ત્યાં તપાસ કરવા નીકળ્યા. પૂછતા પંડિત થવાય, પણ અમારે તો મેડિસિનનો પંડિત શોધવાનો હતો. થોડી મહેનત પછી એ મળી ગયો. 52થી 53 વર્ષનો આ ડોક્ટર મળ્યો, ત્યારે હું હૈરાન રહી
ગયો. પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારના કારણે એ પાકિસ્તાન છોડીને ભારત આવી
ગયો છે. પાકિસ્તાનમાં હિન્દુસ્તાની પત્ની, બહેન અને દીકરીઓની અસ્મત લૂંટાતી જોઇને
દ્રવી ઉઠ્યો હતો. મોટી થતી દિકરીઓ અને સુંદર પત્નીની ચિંતા સતાવતી હતી. ડોક્ટર
હોવાને કારણે અડધી રાત્રે પણ લોકો દવા લેવા આવતા પ્રેટકીસ ધમધોકાર ચાલતી હતી.
નાણાંનો ફ્લો આવતો હતો. પણ પાકિસ્તાની ડોક્ટરની પત્ની અને કૂમળી દીકરી પર અહીંના
પાકિસ્તાનીઓની નજર ખરાબ હતી.
ડોક્ટર સતત મુંઝાતો હતો કે
શું કરવું ? 10 વર્ષ પહેલા નક્કી કર્યું કે, હવે પાકિસ્તાનમાં રહેતા બીજા
હિન્દુઓની મા બહેન, દિકરીઓની ઇજ્જત ખતરામાં છે. તો પાકિસ્તાન છોડી દેવું અથવા ભારત
જતા રહેવું. ડોક્ટર હતાં અને ભણેલા પણ હતાં ભારતના વિઝા મેળવી અહીં રહેતા સગાઓ
સાથે વાત કરી બધુ આટોપી ભારત આવવાનું નક્કી કર્યું. પાકિસ્તાનમાં બનાવેલી મિલ્કત
અડધાભાવે વેચી ભારત આવવાનું નક્કી કરી લીધું, ઘરેણાં બનાવ્યા અનૈ વિઝા મળતા ભારત
આવી ગયા. અહીં આવીને સગાને ત્યાં રહ્યાં.
પણ ખુદ્દાર ડોક્ટરને બીજાના
મોહતાજ રહેવું મંજૂર ન હતું. એણે અમદાવાદમાં ડોક્ટરી શરૂ કરવા માટે નક્કી કર્યું.
દવાખાના માટે મકાન ભાડે લેવા નીકળ્યા, પણ સાચું બોલવું ભારે પડ્યું. એમણે કહ્યું
કે પાકિસ્તાનથી આવ્યો છું. તો લોકોના
નાકના ટેરવા ચડવાં માંડ્યા. કોઇ દવાખાના માટે જગ્યા આપવા તૈયાર ન હતાં. બીજી બાજુ
દિકરીને ભણાવવાની હતી. એને સ્કૂલમાં એડમીશન મળી ગયું. પણ ડોક્ટરને પ્રેકટીસ કરવા
ના મળી. પાકિસ્તાનથી દાઝીને આવેલા ડોક્ટરે હિંમત ન હારી. સરકારી નોકરી માટે મદદ
માંગી. વળી કરમની કઠણાઇ, પાકિસ્તાનની ડીગ્રી જોઇને સરકારી બાબુઓએ તેની સામે
દુશ્મનની જેમ જોવા માંડ્યાં. એની ફાઇલ એક પછી એક ટેબલ પર ફરતી થઇ ગઇ. પણ કોઇ
સરકારી બાબુ એના પર મંજૂરીની મહોર મારવા તૈયાર ન હતો. આમ છતાં ડોક્ટર હિંમત ન
હાર્યો. એણે દિલ્હીના દરવાજા પણ ખખડાવ્યા. ત્યાંથી પણ બહેરા કાને અવાજ અથડાઇને ના
ના પડઘા પડતા રહ્યાં. એની કાકલુદી પીગળી જતી હતી. બીજી બાજુ પાકિસ્તાનથી લાવેલા
ઘરેણાં અને પૈસા ખતમ થવા માંડ્યા હતાં. કારણ કે એ બેન્કમાં પણ પૈસા મૂકી શકતો ન
હતો. બેન્કમાં એકાઉન્ટ ખોલાવી શકતો ન હતો. કારણ કે તે પાકિસ્તાની હતો.
હિન્દુ હોવા છતાં ભારતનો
પ્રેમ દિવસે દિવસે એને ગરીબ કરી રહ્યો હતો. ઉપરથી આઇબી અને પોલિસની ઇન્કવાયરી અને
દર વર્ષે ભારતનો વિઝા મેળવવા માટે દિલ્હીના દ્વાર ખખડાવવામાં ધીરે ધીરે ખિસ્સુ
ખાલી થઇ રહ્યું હતું. પોતે ડોક્ટર હોવા છતાં બેકાર ફરી રહ્યો હતો. હવે ઘરંમાં
ખાવાના સાંસા પડવા માડ્યા. કાંદાને રોટલી પર ગુજારો શરૂ થયો, એના ય પૈસા ખૂટી ગયા.
વુારંવાર પોલિસની ઇન્કવાયરી. દિલ્હીના દોડા ધક્કા ગજવામાં એવા કાણાં પાડી રહ્યા
હતા કે વિઝાની ફી ભરવાના તો ઠીક ખાવાના
પૈસા પણ ન હતાં. પોલિસની ઇન્કવાયરી માટે છાશવારે પોલિસ સ્ટેશન ચાલતા જતા ચપ્પલ
ઘસાઇ ગયા હતાં. પમ ભણેલો હોવા છતાં કામ તો ન મળ્યું. અને ઉપરથી પોલિસ ક્યારે
પાકિસતાન ફેંકી દેશે એનો ડર હતો. છેવટે સૌની દયા ખાઇને સરદારનગરમાં ચપ્પલની દુકાનમાં
નોકરી મળી. સ્ટેથોસ્કોપ અને દવાઓના ડબલાં છોડી, એ ડોક્ટર પોતાનું ગુજરાન ચલાવવા
લોકોના પગનું માપ લઇને જૂતા પહેરાવે છે.
લોકોની ના઼ડી પકડી
બ્લડપ્રેશર માપતાં અને સ્ટેથોસ્કોપથી લોકોના દુઃખ દૂર કરતાં ડોક્ટરને હવે ગળામાં
પોતાની ડોક્ટરીનું સર્ટિફિકેટ ભરાવી લોકોના જૂતા માપવા પડે છે. લોકો સાજા થવાથી
તેમના પગ પકડતા હતાં હવે એ પેટનો ખાડો પુરવા લોકોના પગ પકડી રહ્યા છે. પણએને
પાકિસ્તાનથી પાછા જવાનો અને ગરીબી સાથે લડવાનો અફસોસ નથી. એક હિન્દુ તરીકે
હિન્દુસ્તાનમાં જીવવું છે. પણ જીવવાની કશ્મકશ એને હજુ સુધી પીગળાવી શકી નથી.
પાકિસ્તાન પાછા જાય તો તેને જૂની જાહોજલાલી પાછી મળી શકે એમ છે. પણ હિન્દુસ્તાન
માટેનો એનો પ્રેમ હજુ અકબંધ છે. એટલે પાકિસ્તાન જવા તૈયાર નથી. એ લોકોને મોંઘા
જૂતા પહેરાવે છે. મોંઘા જૂતા ખરીદનાર વગદાર લાગે તો પોતાનું દાક્તરીનું સર્ટિ
બતાવીને મદદ કરવા કાકલૂદી કરે છે.
એની કાકલૂદી જોઇ મને થયું
કે, હિન્દુ ધર્મ પ્રત્યેના પ્રેમે એને દરિદ્રતા આપી છે. પણ એની કમર તોડી નાંખી
નથી. પરંતુ પાકિસ્તાનથી સાથે લાવેલા સ્ટેથોસ્કોપ, બીપી માપવાના મશીન પર ચઢેલી ધૂળ
સાફ કરતાં કદાચ હિન્દુના હામી બની ખૂરશી પર ઠેકડો મારીને બેઠેલા રાજકારણીઓ માટે
મનમાં એવું તો જરૂર કહેતો હશે કે, હિન્દુસ્તાન માટેના અમારા દિલની સફર તો કરી જુઓ
કોઇક દિવસ....હિન્દુ હોવાના ઘા થી દિલમાં પડેલા ખાડામાં અમે પ્રેમના ફુલો વાવ્યા છે. પણ ભૂલથી મારા વેચેલા જૂતા
પહેરી એના પર પગના મૂકતા.............
(નોંધઃ પહેલેથી ઝલીલ થયેલા ડોક્ટરને વધુ પીડા ન પહોંચાડવા તેનું નામ અને તસવીર મૂકી નથી.)

ધ્યાનથી વાંચવું: પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ 'કાફીર..હિન્દુ..ઇન્ડિયન..' છે.ભારતમાં વસતા પાકિસ્તાની હિન્દુઓ ' પાકિસ્તાની' છે.અને હા,જાસૂસીનું લેબલ બંને દેશો માં લાગે છે.ધોબી
ReplyDeleteકે કુત્તા..
સમય બડા બલવાન
ReplyDeleteનહી મનુષ્ય બલવાન
Aama mane kaakludi no meaning na samjhayo����
ReplyDeletePan aa Doctor sathe j b thayu a bau j khotu che. Aa political leaders khaber nai kem aatla dekhada kare che ane jyare kai kaam karvanu aave tyare chatki jata hoy che. India is the biggest democracy in the world. But,sometimes I doubt this fact. Shu hakikat ma desh nu shashan praja thi, praja mate ane praja dwara thai rahyu che? K aa khurshi par thekdo mari besela raajkaranio aakha desh ne dhakke chadhave che?
Din bhi andhera chhaya hai phir bhi mera bharat mahan ka nara lagaya ja raha hai
ReplyDeleteDin mai bhi andhera chhaya hai
ReplyDeletephir bhi mera bharat mahan ka
nara lagaya ja raha hai ¡
Abhi yaha pe bhi istarah ke log hai ki vah vapas Jana nahi pasand karate lekin kabhi kyakare majburi KA name Mahatma Gandhi.
ReplyDeleteKahi yesebhi haiki.....
"MANAV BADA BALWAN
NAHI SAMAY BALWAN".....
Abhi yaha pe bhi istarah ke log hai ki vah vapas Jana nahi pasand karate lekin kabhi kyakare majburi KA name Mahatma Gandhi.
ReplyDeleteKahi yesebhi haiki.....
"MANAV BADA BALWAN
NAHI SAMAY BALWAN".....
લેખ વાંચીને મગજની બધી ઈન્દીર્યા એક જ સવાલ કરે છે ? માન સન્માન કર્મ કરતાં વધારે ધર્મ અપાવે છે ? સમાજના બધા જ પાસાને અને સાચુ ચિત્ર બતાવવા બદલ આભાર.
ReplyDeleteલેખ વાંચીને મગજની બધી ઈન્દીર્યા એક જ સવાલ કરે છે ? માન સન્માન કર્મ કરતાં વધારે ધર્મ અપાવે છે ? સમાજના બધા જ પાસાને અને સાચુ ચિત્ર બતાવવા બદલ આભાર.
ReplyDeleteસરદાર નગર મા વસતા પાકિસ્તાન થી આવેલા સિંધી અથવા બીજી જ્ઞાતિ નાં લોકો ની પીડા અસહ્ય છે એક એક માણસ ની સ્ટોરી હૃદય દ્રવક છે
ReplyDeleteસરદાર નગર મા વસતા પાકિસ્તાન થી આવેલા સિંધી અથવા બીજી જ્ઞાતિ નાં લોકો ની પીડા અસહ્ય છે એક એક માણસ ની સ્ટોરી હૃદય દ્રવક છે
ReplyDeleteसरस स्टोरी ।
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteસાહેબ..
ReplyDeleteડીસામાં વસતા શરણર્થીઓને તૌ સરકારે વર્ષો બાદ ચૂંટણી કાર્ડ અને રાશન કાર્ડ આપેલા...
સિસ્ટમમા સુધાર જરુરી છે
સાહેબ..
ReplyDeleteડીસામાં વસતા શરણર્થીઓને તૌ સરકારે વર્ષો બાદ ચૂંટણી કાર્ડ અને રાશન કાર્ડ આપેલા...
સિસ્ટમમા સુધાર જરુરી છે
आपको जानकर ख़ुशी होगी की आपके और निर्णय कपूर जी और भरत भाई के प्रयासों से उनमें से कुछ लोगो को भारतीय नागरिकता मिल गई है अभी काफी लोग और हे जिन्हें नागरिकता मिलना बाकि हे उनकी पीड़ा को वर्णित नहीं किया जा सकता है उसे महसूस किया जा सकता है आपने उसे महसूस किया और मुझे याद किया उसके लिए आपका शुक्रगुजार रहूँगा और ईश्वर से प्रार्थना करूँगा उन सब परिवारों को उनका हक मिले ईश्वर से इसलिये कहूंगा क्योकि सरकार के सामने गुहार लगा कर वो भी थक चुके और हम स्टोरी करके अपना फर्ज अदा करते हे लेकिन कुभकर्णीय नींद से सरकार जागती नही है सरकार के नए मुखिया विजय भाई रूपानी उनके दर्द को महसूस करेंगे और उन्हें न्याय दिलाएंगे आपकी लेखनी यु ही चलती रहे तो न्याय जरूर मिलेगा इस उम्मीद के साथ आपकी लेखनी में मुझे याद करने के लिए एक बार फिर से आपका धन्यवाद
ReplyDeleteआपको जानकर ख़ुशी होगी की आपके और निर्णय कपूर जी और भरत भाई के प्रयासों से उनमें से कुछ लोगो को भारतीय नागरिकता मिल गई है अभी काफी लोग और हे जिन्हें नागरिकता मिलना बाकि हे उनकी पीड़ा को वर्णित नहीं किया जा सकता है उसे महसूस किया जा सकता है आपने उसे महसूस किया और मुझे याद किया उसके लिए आपका शुक्रगुजार रहूँगा और ईश्वर से प्रार्थना करूँगा उन सब परिवारों को उनका हक मिले ईश्वर से इसलिये कहूंगा क्योकि सरकार के सामने गुहार लगा कर वो भी थक चुके और हम स्टोरी करके अपना फर्ज अदा करते हे लेकिन कुभकर्णीय नींद से सरकार जागती नही है सरकार के नए मुखिया विजय भाई रूपानी उनके दर्द को महसूस करेंगे और उन्हें न्याय दिलाएंगे आपकी लेखनी यु ही चलती रहे तो न्याय जरूर मिलेगा इस उम्मीद के साथ आपकी लेखनी में मुझे याद करने के लिए एक बार फिर से आपका धन्यवाद
ReplyDeleteAapni sarkar ola pakistan thi India aavela pure pakistani singer adnan sami ne jo permanent visa aapi shakti hoy to to aa doctor ne permanent visa nahi aapine aapni sarkar a kharekhar teni sathe anyay j karyo chhe... Ane saheb aa Hindu na name vote bank ni raajniti karva wala loko ne Hindu ni kai padi j Nathi enu aa uttam example tme aapyu chhe.
ReplyDeleteAapni sarkar ola pakistan thi India aavela pure pakistani singer adnan sami ne jo permanent visa aapi shakti hoy to to aa doctor ne permanent visa nahi aapine aapni sarkar a kharekhar teni sathe anyay j karyo chhe... Ane saheb aa Hindu na name vote bank ni raajniti karva wala loko ne Hindu ni kai padi j Nathi enu aa uttam example tme aapyu chhe.
ReplyDeleteVery shameful on the part of govt
ReplyDeleteVery shameful on the part of govt
ReplyDeleteYou didn't publish his name and Photo that is real Humanity.very nice story.Government is "Gatisheel Gujarat"!!
ReplyDeleteભારત માં પત્રકાર ઈમાનદારી કરે તો શું હાલ થાય ???
ReplyDeleteVery touching. Example of true journalism
ReplyDeleteVery touching. Example of true journalism
ReplyDeleteબધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
ReplyDeleteઅને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,
samay bada balvan....
ReplyDelete👌👌👌
ReplyDeletetouched.
ReplyDeleteભાર્ગવભાઇ વાત તમારી સાચી છે પણ આ તો એક જ આ ડોક્ટર છે સરદારનગરમાં દસ હજાર પાકિસ્તાની રહે છે અને તેમને યેન કેન પ્રકારે અહિયા પણ સિસ્ટમનો ભોગ બનવુ જ પડે છે કેટલીક વાતો બહાર આવે છે અને કેટલાક પર પુર્ણ વિરામ મુકાઇ જાય છે
ReplyDeleteSir interesting article...
ReplyDeleteNow, you will get regular comments..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete