Tuesday, 7 November 2017

પાછો આવીશ તારી પનાહમાં નોટબંધી....પહેલા બજારમાં મને પૂરો લૂંટાવા તો દે!

આઠ નવેમ્બરે વિપક્ષો ‘બ્લેક ડે’ ઉજવશે અને સરકાર ‘બ્લેક મની ડે’ ઉજવશે. પણ મારા અને તમારા જેવા લોકોએ તો આઠ નવેમ્બરે ‘ટીયર્સ ડે’ ઉજવવો જોઇએ. કારણ કે નોટબંધી હજુ પણ આપણને લોહીના આંસુએ રડાવી રહી છે.
એક વર્ષ પછી પણ નોટબંધીના ઘા રૂઝાયા નથી. કારણ કે નોટબંધી આવી ત્યારે દેશભરની 86 ટકા કરન્સી બંધ થઇ ગઇ હતી. બજારમાંથી રૂપિયા ગાયબ થઇ ગયા હતાં. એ વખતે તકલીફ એટલે ન લાગી કે મારી અને તમારી આંખોમાં સપનાના કાજળ અંજાયા હતાં કે આતંકવાદ ખતમ થઇ જશે. નકલી નોટોની ઝંઝાળ દૂર થઇ જશે. પરંતુ આંખનું કાજળ ગાલે ઘસાઇ ગયું. કારણ કે સુપ્રીમ કોર્ટમાં રિઝર્વ બેન્કે જે આંકડા આપ્યા તેનાથી બધા છક્કડ ખાઇ ગયા છે.

રિઝર્વ બેન્કે સુપ્રીમમાં કહ્યું કે, નોટબંધી પછી રૂ. 15.44 લાખ રૂપિયાની નોટો પાછી આવી છે અને હવે એના પર વ્યાજ આપવું પડે છે. બેન્કોનો નોટોનો એટલો બધો ભરાવો થઇ ગયો છે, કે વ્યાજનું ભારણ વધી ગયું છે....અને વ્યાજ ભારણના બહાના તળે સીધી કાતર મૂકાઇ ગઇ મધ્યમ અને ગરીબ વર્ગની પાઇ પાઇની પરસેવાની બચત પર...
દીવસ રાત કાળી મજૂરી કરીને ઇન્કમટેક્સ ભરતા અને વ્હાઇટની કમાણી  કરવાવાળા લોકોએ પોતાના ઘડપણ માટે અને સાથે સાથે ઇન્કમટેક્સમાં બચત થાય તે માટે પીપીએફ, એનએસસી જેવા સાધનોમાં રોકાણ કર્યું હતું એમાં વ્યાજ ઘટી ગયું. ભાઇ...આ બધા નાણાં તો નોકરિયાત અને મધ્યમ વર્ગના અને વળી પાછા વ્હાઇટના હતાં. બ્લેક મનીવાળો તો અહીં નાણાં રોકતો જ ન હતો.
આ આખી ય વાતમાં ખાટલે મોટી ખોડ એ આવી કે નોટબંધીથી કાળા નાણાં દૂર થશે, આતંકવાદ બંધ થશે એવી પ્રધાનસેવક...સોરી પ્રધાન પ્રચારકની પંચતંત્રની કથાઓ સાંભળી હતી. પણ બેન્કમાં 99 ટકા નાણાં જમા થઇ ગયા. એટલું જ નહીં કાશમીરમાં નોટબંધી પછી આતંકવાદી હુમલાઓ વધી ગયા અને બનાવટી નોટો ક્યાં ગઇ એ હજી ખબર નથી પડી.
હા..આ નોટબંધીમાં રાતોરાત લખપતિ..સોરી અબજપતિ બની હોય તો પેટીએમ સાથે જોડાયેલી ચાઇનાની કંપની. એમના વડાપ્રધાને અહીં આવી રિવરફ્રન્ટ પર હિંચકા ખાધા અને એના દેશને પૈસા મળી ગયા. ખેર, છોડો એ વાત...મૂળ વાત એ છે કે, જોર શોરથી પ્રચાર થયો કે, બધુ કેશ લેસ થશે....કાળાં બંધ થઇ જશે. લોકો કેશ લેસમાં ગયા...નોટબંધી પછી ઇ-વોલેટનો ઉપયોગ 64.77 ટકા થઇ ગયો. આશા હતી કે ઇ-વોલેટનો ઉપયોગ હજુ વધશે. પણ 2017ની સાલમાં ઇ-વોલેટનો ઉપયોગ સીધો ઘટીને 31.8 ટકા થઇ ગયો. બીજી તરફ લૂંટવા માટે એટીએમનો ઉપયોગ થવા માંડ્યો. પોતાની બેન્કના એટીએમમાં પણ ફ્રી ટ્રાન્ઝેક્શન પર મર્યાદાઓ આવી ગઇ. અને બેન્કો પોતાની મુન્સફી પ્રમાણે અમુક ટ્રાન્ઝેક્શન પછી મનફાવે તેવા ચાર્જ વસુલવા લાગી....હવે સામાન્ય માણસની તો સપનાં જોયાં પછી એવી હાલત થઇ ગઇ કે, આસમાન સે ગિરા ઔર ખજૂર પે અટકા....કારણ કે માંડ બે પૈસા બચાવીને બેન્કમાં એફડી કરાવી તો એફડીના વ્યાજ પણ ઘટી ગયાં. ગરીબોને બેન્ક સાથે  જોડવાની વાર્તા કરનાર સરકારની જનધન યોજનામાં ખૂલેલા ખાતામાં ગરીબ લોકોએ નોટબંધી . થતા જ 87000 કરોડ રૂપિયા જમા કરાવી દીધા. એમના વ્યાજ ચુકવવામા પરસેવાની કમાણીવાલા લોકોના એફ.ડીના વ્યાજ કપાઇ ગયા.
નોટબંધીની ફળશ્રૂતિ એ આવી કે લોકોની બચતો ઘસાતી ગઇ એટલે ગુજરાતી બચ્ચો પૈસા કમાવા શેરબજાર તરફ વળ્યો છે. નોટબંધી પછી શેરબજારમાં 34.88 લાખ કરોડ આવ્યા અને સેન્સેક્સ નિફ્ટી 22 ટકા જેવું વધી ગયા. હવે લોકોને શેરબજારમમાં લાડવા દેખાવા માંડ્યા છે. આ લાડવો લોકોને અનેક વખત ડાયાબિટિશ કરાવી ગયો છે તે કોઇને યાદ નથી.
રાજકારણીઓ...હારવાની બીકે નોટબંધીને કારણે ખેડૂત મર્યો, નાનો વેપારી મર્યો કહી ઉહાપોહ કરે છે. તો સરકાર બેહજારની ગુલાબી નોટ જેવું સપનું દેખાડે છે કે, અર્થતંત્ર મજબુત કરવા થોડી કડવી દવા પીવી પડશે. પણ સરકારમાં એકે ય ઇકોનોમિસ્ટ એવો નહીં હોય કે, જેને ખબર પડે કે કાળું નાણું તો સૌથી વધુ રિયલ એસ્ટેટમાં હોય છે....નહીં કે, મધ્યમ વર્ગે લોહી પાણી એક કરેલી બચતમાં...કે એની ઉપર વ્યાજ દર ઘટાડી દો...
નોટબંધી પછી આતંકવાદ ન ઘટ્યો, કાળું નાણું ન ઘટ્યું. નવી નોટોની પણ ડુપ્લીકેટ નોટો પકડવાનો નવો સિલસિલો પણ ચાલુ થઇ ગયો.એટલું જ નહીં બે પૈસા બચાવીને બેંકમાં મૂકીશું તો બે પૈસા વ્યાજના કમાઇશું એવી આશા પણ ઠગારી નીવડી. ત્યારે 100 વર્ષ પહેલા ગાલીબે પોતાની ગરીબી પર લખ્યું હતું કે,
‘’ગરીબી ઔર ખ્વાહીશે દોનો હી તુમ હો
 ખુદા મહેરબાન હો તો કોઇ એક પૂરી હોગી’’

પણ હું અહીં એને થોડી બદલીને મૂકું છું....કે....

‘’ગરીબી ઔર ખ્વાહીશે, દોનો હી તુમ હો
નોટબંધી કી મહેરબાની નહી હોતી તો એક પુરી હોતી.’’

77 comments:

  1. Super duper truth...real estate ni mandi pan notebandi ne aabhari chhe

    ReplyDelete
    Replies
    1. thank you tejal for find out between the lines.

      Delete
  2. Superb. Truth exposed. Keep it up

    ReplyDelete
  3. લોકોના દિલના દર્દની વાત છેડીને ફરી એક વાર આંખમાં આંસુ લાવી દીધા, જોરદાર ભાર્ગવભાઈ

    ReplyDelete
    Replies
    1. thank you jayeshbhai for your valueable observation.

      Delete
    2. મધ્યમ વર્ગની સાચી હૈયાવરાળ ઠાલવી. અધુરું હતું તેમાં વીમા કંપનીઓએ મેડીક્લેમ ના પ્રિમિયમ સીનીયર સીટીઝન ના બમણા કરી નાખ્યા.એમ કહોને કે તે મને
      આડકતરી રીતે ટાળવા માં આવી રહ્યા છે.

      Delete
  4. ખુબ સુંદર ,,,,👍👍

    ReplyDelete
  5. Sir ghana vakhate tamne vanchya... Maja aavi. Thank you!!!

    ReplyDelete
  6. હું Economy વિષયમાં બિલકુલ ઢ છું, હા ભાર્ગવભાઇની લખવાની શૈલીએ મને અંતરમાં થોડો કચવાટ અને કમકમાટી જરુર લાવી દીધી.

    વિષયો તો આ આપણા ભાર્ગવભાઇ જબરદસ્ત શોધી જ લાવે છે પણ તેને વાંચવાની, સમજવાની - સરળતા તેમના લખાણમાં જે છે તે મારા જેવાં અંગ્રેજી માધ્યમ માં ભણેલાઓને પણ ગુજરાતીમાં લખવાની પ્રેરણા આપ્ે છે. ઇ, ઉ ની અગણ્ય ભુલો માફ કરશો.
    સવાલ માત્ર એટલો કે અહીં - લેખક મારાં લખાણ વિશે (જોડણી ભુલો વિશે) લખશે?

    ReplyDelete
  7. વોટની લ્હાયમાં થયેલી નોટબંધીના સારા પરિણામ સરકારને હજુ દેખાયા નથી...

    સરસ આલેખન આભાર

    ReplyDelete
  8. સરકારી લૂંટ અને ધાડ કોને કહેવાય તે મોદી એ પુરવાર કરી બતાવ્યુ, અક્કલ ના ઓથમીરો હજુ વાહ વાહ જ કરી રહ્યા છે.

    ReplyDelete
  9. Great observation n remarkable poi us...thank u to provide words to the dilemma of common people...

    ReplyDelete
  10. બહુ લાંબા સમયે બ્લોગને જાગતો કર્યો ભાઈ, હવે તબિયત સારી હશે જ, આવરનવાર હાથ અજમાવતા રહો, નોટબંધીનો વિષય ગરીબ તવંગર દરેકને સ્પર્શતો રહ્યો છે, લેખ ખૂબ જ પ્રાસંગિક અને માહિતીસભર છે, છતે પૈસે લોકોની હાલત ભિખારી જેવી થઈ ગઈ હતી, લોકોને હજુ પણ મિત્રોસ અને ભાઈઓ બહેનો શબ્દનો એટલો જ ભય લાગે છે, ખૂબ જ અભિનંદન ...

    ReplyDelete
    Replies
    1. thanks bhai for your well wishes and valueable comment.

      Delete
  11. હૂઁ સત્યવાદી નથી પણ ક્યરેક સાચું બોલવા નું મન થઈ જાય છે એટલે બોલી લઊઁ છુઁ ! ! ! ! ! ! હા મને આ નોટ બંદી નડી હોં ! ! ! ! !
    કટુ સત્ય પણ સાચું . ભાર્ગવ ભાઈ ધન્ય છો તમે કે જે આવા પ્રશ્નો ને નીડરતા થી લખી શકો છો

    ReplyDelete
  12. જબરદસ્ત, ધારદાર લેખ

    ReplyDelete
  13. Bhai waahh.. Salam to hilight the facts...

    ReplyDelete
  14. મોદી સાથે જોડાયેલા તમામ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ નાં બ્લેકમની White કરવા માટે જ આ આખો માસ્ટર પ્લાન ઘડાયો હતો અને એને ("આંતકવાદ ડામવા, બ્લેકમની બહાર લાવવા,ડુપ્લીકેટ નોટો દૂર કરવા, કેશલેસ કરવા") માટે લીધેલું પગલું બતાવવા મા આવેલું.. આવા અલગ અલગ ટીકડમ કરી ને ભોળી પ્રજા ને પડ્યા પર પાટું મારવા જેવું કામ GST લાદી ને કરવામાં આવ્યું.. જેમાં સૌથી મોટો લાભ વીજળી ઉત્પન કરતી कंपनीओ ને થયો કેમકે કોલસા પર પહેલા 12 % લાગતો ટેક્સ ઘટી ને 5 % કરી દેવામાં આવ્યો છે અને પ્રજા ને એવી लॉलीपॉप આપવામાં આવી કે વીજળી સસ્તી થશે. જે હજુ સુધી દેખાતું નથી

    ReplyDelete
  15. adhut..કોઇપણ પૂર્વગ્રહ વિના લખાયેલો બ્લોગ. નોટબંધીથી અમારે રાજકોટમાં નાના ઉદ્યોગના 50 ટકા ધંધા ઘટી ગયા છે. એની સીધી ચાની કિટલીવાળા, ઢાબાવાળાનાં ધંધા પર પડી છે. પૈસાવાળાઓએ સોનું ખરીદીને મૂકી દીધું મધ્યમ વર્ગનું શું.?

    ReplyDelete
  16. notebandi nishfal chhe. chin ni kampany ne laabh karaavava nu karastan chhe. videshi kampaniyo ne laabh aapi curruption levaanu nu motu sadhan hatu.

    ReplyDelete
  17. લોકોના દિલના દર્દની વાત છેડીને ફરી એક વાર આંખમાં આંસુ લાવી દીધા, જોરદાર ભાર્ગવભાઈ
    Jayesh Shah.via GOOGLE+

    ReplyDelete
  18. આમાં મધ્યમ વર્ગ નકશા પરથી જતો રહ્યો

    ReplyDelete
  19. નોટબંધી કરીને રાજકીય હરીફો અને દુશ્મનોને પતાવામાં ગરીબનું તેલ નીકળી ગયું.

    ReplyDelete
  20. સાચી વાત, નોટ બાંધી માં સૌથી વધારે ધોવાયો મધ્યમ વર્ગ અને નીચલો વર્ગ.. સરકારે ઇન્દુસ્ટ્રીઅલિસ્ટ, કાળાબજારીઓ, પોલિટીકલ દલાલો અને પોલિટીશ્યન્સ નેજ માલા-માલ કર્યા એમ દેખાય છે..

    ReplyDelete
  21. Very apt and concentrated Bhargav

    ReplyDelete
  22. Jabardast Bhargavji...!!

    ReplyDelete
  23. જોરદાર સાહેબ... આ નોટબંધી માં ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર જોરદાર અસર થઈ અને એ લોકો ની હેરાનગતિ માં વધારો થયો, તો બીજી બાજુ વગદાર લોકો અને રાજકારણીઓએ પોતાના કાળા નાણાં ને સફેદ બનાવી દીધા...

    ReplyDelete
  24. નોટબંધી અને જીએસટી એ લોકોને નવરા કરીનાખ્યા અચ્છે દિન ક્યારે આવશે તેની ખબર નથી હાલતો બુરે દિન આવી ગયા તેમા કોઇ ફેર નથી

    સાહેબ તમારો આલેખ અદ્દભુત છે

    ReplyDelete
  25. તદ્દન સત્ય લખાણ! નોટબંધી પહેલાં એવું કહેવાતું હતું કે સરકારી બાબુઓ નું corruption zero થઈ જશે, પણ ઊલટાનું ખૂબ વધ્યું, બાબુઓ નોટબંધી પછી તરત તેમની રોજીંદી under table income જે ઓછી થઈ ગઈ તે અત્યારે વ્યાજ સાથે વસુલ કરે છે. Builders પાસે એટલાં જ black money થઈ ગયા છે,સહકારી બેંક માં director ઓ એ નોટબંધી ની રાતે જ હજારો કરોડો નો વહીવટ કરી લીધો... ભાર્ગવભાઈ, દરેક જણા નોટબંધી પછી દાઝયા છે.. લોકો પાસે રોકડા રૂપિયા ના હોય અને bank account પણ ના હોય તેવા લોકો ને emergency ઓપરેશન મા ખૂબ તકલીફ પડી હતી, જોકે ઘણા સેવાભાવી ડોક્ટર ઓ એ ઉધારી માં ઓપરેશન કરી આપેલા છે.. નોટબંધી ને કારણે પ્રજા ને થયેલી મુશ્કેલી નો બદલો આ વખતે પ્રજા election માં વાળશે, thappad ki gunj ki gunj sunaai degi!

    ReplyDelete
  26. What a great in-depth, analytical article. It really address the multifold effect of wrong decision and implementation. Its said if intensions are good outcome will be always good but from the beginning the intention of Demonetization was not economical benefit to the country but personal and political benefit to the implementers and the people close to the Ruling BJP

    ReplyDelete
  27. નોટબંધીના કારણે સર્વિસ સેક્ટરમાં પી.એમ.આઈ. માં ઘટાડો, ઉત્પાદન વિકાસદરમાં ઘટાડો, બેરોજગારીમાં વધારો, અસગંઠિત ક્ષેત્રોમાં કામ કરતાં શ્રમિકોને ભારે હાલાકી સાથે દેશના વિકાસ દરમાં પણ મોટી અસર દેખાઈ છે. નોટબંધીના કારણે દેશના કરોડો લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. નોટબંધી બાદ ઉભી થયેલી અવ્યવસ્થાથી ગુજરાતના દુધ ઉત્પાદકોને અને ખેડૂતોને રોકડ માટે બેન્કની લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી. રોજિંદા કામ કરતા મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે. નાના દુકાનદારોના રોજિંદા વેપારમાં સરેરાશ ૪૦ થી ૫૦ ટકાનો વેપાર ઘટી ગયો છે. ટેક્ષટાઈલ, સિરામિક અને હિરા ઉદ્યોગને નોટબંધીને કારણે ભારે નુક્શાનીનો સામનો કરવો પડી રહ્યો છે. નોટનાંધીના એક વર્ષ પછી પણ હજુ ખાસ સુવિધા ઉપલબ્ધ થઇ શકી નથી આવા સમયે આપનો નોટબંધી પરનો આ બ્લોગ દેશની જનતાને ચોક્કસ પ્રભાવિત કરશે...સચોટ વાચા નોટબંધીના વિષયને...

    ReplyDelete
  28. જે થયું તે સારા માટે જ થયું.....
    જે થશે તે પણ સારું જ થશે...તેમ માનીને મન ને મનાવી લઈએ...પણ વૉટ તો BJP ને જ આપવાનો હો.

    ReplyDelete
  29. Superbly written with facts. FY 2015-16 is likely to slow down by 0.5% to 1.5% as per reports of various agencies and all sectors are badly affected on the name of demonetisation. Majorly unorganised sector is affected due to demonetisation. We are talking about GDP growth but GOI changed the cut off date for GDP calculation. Rest is done on the name of GST. It affected all sectors very badly. Now a days all industries think and implement on cost cutting. very analytical and described very well.

    ReplyDelete
    Replies
    1. Really thought provoking thigs sir thanks for your valuable comment

      Delete
    2. Really thought provoking points sir thanks for your valuable comment

      Delete
  30. Your article is completely biased article. You accept that 99% of money in circulation came back in banks, ie 14.55 lakh crore of money.No white money was kept in cupboards by a commonman.All money of common men was lying in banks. So your premise that since all money is deposited in banks, banks have to pay interest is totally wrong. Why should a common man like me not keep his money in banks? Only those persons were not keeping their money in banks who were having black money.Because if govt comes to know of blackmoney they have to show source of income and pay income tax.
    Journalists like you are the tools of opposition.you have decided in minds that demonetisation was a failure and find find results of failure. Commonmen have no grudges against demonetisation because they have no blackmoney.
    In fact we can say that blackmoney was absorbedd in 30% commission of bank managers for converting black into white.All blackmoney is hidden there. But neither journalists like you dare to point out such things neither the govt has willingness to take actions against the erring bank employees and officers.

    ReplyDelete
    Replies
    1. Nirmal ji i have put the facts and figures than analyse the things on the basis of r.b.i. report

      Delete